દેશ

24 કરોડ લોકોને મળશે સારા સમાચાર! આવતા મહિને સરકાર લેશે મોટો નિર્ણય

24 કરોડ લોકોને મળશે સારા સમાચાર! આવતા મહિને સરકાર લેશે મોટો નિર્ણય

ભારત સરકાર ટૂંક સમયમાં લગભગ 24 કરોડ ખાતાધારકોને ખુશખબર જણાવવા જઈ રહી છે. આ વખતે સરકાર વ્યાજદરમાં વધારો કરી શકે તેવી અપેક્ષા છે. ખરેખર, નાણાકીય વર્ષ 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) જમા પર વ્યાજ દરો આવતા મહિને નક્કી કરવામાં આવશે.

ટૂંક સમયમાં થશે નિર્ણય

જણાવી દઈએ કે આ અંગેનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા લેવામાં આવે છે. જેની બેઠક આવતા મહિને થવા જઈ રહી છે. આ બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ માટેના વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ‘EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં યોજાશે, જેમાં 2021-22 માટે વ્યાજ દરો નક્કી કરવાનો પ્રસ્તાવ સૂચિબદ્ધ છે.

પત્રકારોના સવાલ પર આ વાત કહી CBT પ્રમુખ

જ્યારે તેમને આ પૂછવામાં આવ્યું કે શું EPFO ​​2021-22 માટે પણ 2020-21 માટે 8.5%નો વ્યાજ દર જાળવી રાખશે? તેમણે કહ્યું કે આ નિર્ણય આગામી નાણાકીય વર્ષની આવકના અંદાજના આધારે લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર યાદવ CBTના પ્રમુખ છે.

છેલ્લા 10 વર્ષનો આવો આંકડો

નોંધનીય છે કે CBT દ્વારા વ્યાજ દર પર નિર્ણય લેવામાં આવે તે પછી, તેને નાણાં મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવે છે. માર્ચ-2020માં, EPFOએ ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દરને ઘટાડીને 2019-20 માટે 8.5%ના 7 વર્ષના નીચલા સ્તરે લાવી દીધો હતો.

2018-19માં 8.65% વ્યાજ
2017-18માં 8.65% વ્યાજ
2016-17માં 8.65% વ્યાજ
2015-16માં 8.8% વ્યાજ
2014-15માં 8.75% વ્યાજ
2013-14માં 8.75% વ્યાજ
2012-13માં 8.5% વ્યાજ

2011-12માં 8.25% વ્યાજ

નોંધનીય છે કે હાલમાં, EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2020-21 માટે 24 કરોડ વધુ PF ખાતાઓમાં વ્યાજ જમા કરાવ્યું છે. સંગઠને 8.5 ટકાના દરે વ્યાજ આપ્યું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago